Visa-Free Access: પાડોશી દેશ શ્રીલંકાએ ભારતીય પાસપોર્ટ ધારકો માટે એક શાનદાર ખુશખબર આપી છે. પાડોશી દેશે ભારત સહિત ઘણા દેશોના રહેવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશની જાહેરાત કરી છે. જાહેરાત અનુસાર, ભારતીય પ્રવાસીઓ ટૂંક સમયમાં શ્રીલંકામાં વિઝા મુક્ત પ્રવેશ મેળવવાનું શરૂ કરશે.


35 દેશોને 6 મહિના માટે લાભ મળશે
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, શ્રીલંકાએ 35 દેશો માટે વિઝા ફ્રી એક્સેસ સુવિધાની જાહેરાત કરી છે. તેમાં ભારત, અમેરિકા અને બ્રિટન જેવા દેશોનો સમાવેશ થાય છે. આ ફેરફાર 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યો છે. તેનો અમલ 6 મહિના માટે કરવામાં આવી રહ્યો છે. આ ફેરફારને શ્રીલંકાની સરકારની કેબિનેટે મંજૂરી આપી દીધી છે.


ભારત સિવાય આ દેશોના પ્રવાસીઓને ફાયદો થશે
રિપોર્ટમાં શ્રીલંકાના પર્યટન મંત્રી હરિન ફર્નાન્ડોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 1 ઓક્ટોબરથી 35 દેશોના પ્રવાસીઓને શ્રીલંકાના પ્રવાસ માટે વિઝાની જરૂર પડશે નહીં. આ પોલિસી છ મહિના માટે છે. જે દેશોના લોકોને આ સુવિધાનો લાભ મળવાનો છે તેમાં ભારત, અમેરિકા અને બ્રિટન ઉપરાંત ચીન, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્પેન, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, પોલેન્ડ, કઝાકિસ્તાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, નેપાળ, ઈન્ડોનેશિયા, રશિયા અને થાઈલેન્ડના નામ સામેલ છે.


આ દેશોના પાસપોર્ટ ધારકો માટે પણ સુવિધા
મલેશિયા, જાપાન, ફ્રાન્સ, કેનેડા, ચેક રિપબ્લિક, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રિયા, ઇઝરાયેલ, બેલારુસ, ઈરાન, સ્વીડન, દક્ષિણ કોરિયા, કતાર, ઓમાન, બહેરીન અને ન્યુઝીલેન્ડ જેવા દેશોના પાસપોર્ટ ધારકોને પણ 6 મહિનાની વિઝા ફ્રી એન્ટ્રી સામેલ છે. જાણકારોના મતે શ્રીલંકાના આ નિર્ણયથી તેમનો ટૂરિઝમ બિઝનેસ વધુ વિકસશે અને દેશની તિજોરી પણ છલકાશે.


ભારતીયોને વિઝા માટે ચાર્જ લાગતો નથી
શ્રીલંકાની અર્થવ્યવસ્થા માટે પ્રવાસન ખૂબ જ મહત્વપૂર્ણ છે. દર વર્ષે વિવિધ દેશોમાંથી લાખો પ્રવાસીઓ શ્રીલંકાની મુલાકાતે આવે છે. થોડા દિવસો પહેલા જ શ્રીલંકામાં વિઝા-ઓન-અરાઈવલ ફીમાં વધારો કરવામાં આવ્યો હતો, જેણે વિવાદ ઉભો કર્યો હતો. શ્રીલંકામાં વિઝા-ઓન-અરાઈવલ સુવિધા એક વિદેશી કંપની દ્વારા સંભાળવામાં આવી રહી હતી. શ્રીલંકામાં ભારત, ચીન, જાપાન, રશિયા, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાના લોકો કોઈપણ ફી વગર પ્રવાસી વિઝા મેળવે છે.


આ પણ વાંચો...


Jammu Kashmir: આ પાર્ટી સાથે કાશ્મીરમાં ચૂંટણી લડશે કોંગ્રેસ, જાણો રાહુલ ગાંધીએ કોને આપી પ્રાથમિકતા