OBC પંચને બંધારણિય દરજ્જો આપનાર બિલને સંસદની મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Aug 2018 08:42 PM (IST)
નવી દિલ્હી: OBC વર્ગને બંધારણિય દરજ્જો આપવા સંબંધિત બંધારણ સંશોધન બિલને સંસદની મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભાએ સોમવારે આ સંબંધિત સંવિધાન (123મું સંશોધન) બિલ 2017ને 156ના મુકાબલે શૂન્ય મતોથી પસાર કર્યું. લોકસભામાં આ પહેલા જ પાસ થઈ ચૂક્યું છે. સંવિધાન સંશોધન હોવાને કારણે ખરડા પર મત વિભાજન કરવામાં આવ્યું, જેમાં તમામ 156 સભ્યોએ તેના પક્ષમાં મતદાન કર્યું છે. સામાજિક ન્યાય અને આધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોકે કહ્યું, આ બિલ પસાર થયા બાદ રાજ્યોના અધિકારોના હનન હોવાના સંબંધમાં કેટલાક સભ્યોએ જે આશંકા વ્યક્ત કરી છે, તે નિર્મૂલ છે. તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિની કેન્દ્રીય તથા રાજ્યોની સૂચી એક સમાન હોય છે પરંતુ ઓબીસીના મામલામાં આ અલગ-અલગ છે. તેમણે કહ્યું કે, રાજ્ય પોતાના માટે ઓબીસી જાતિઓ પર નિર્ણય કરવાને લઈને સ્વતંત્ર છે. આ બિલ કાયદો બન્યા બાદ જો રાજ્ય કોઇ જાતિને ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સામેલ કરવા ઈચ્છે છે તો તે સીધુ કેન્દ્રના આયોગને મોકલી શકે છે. તેમણે કહ્યું, હું વિશ્વાસ અપાવું છું કે આયોગની ભલામણો રાજ્ય માટે બંધનકારી નહીં હોય. ભારતના સંવિધાનનું અને સંશોધન કરનારા, લોકસભા દ્વારા યથાવર્જિત તથા સંશોધનની સાથે રાજ્યસભા દ્વારા પરત કરેલ બિલમાં પૃષ્ઠ એકની પંક્તિ એકમાં 68માંના સ્થાન પર 69મો શબ્દ પ્રતિસ્થાપિત કરવાની વાત કહેવામાં આવી છે.