ઝારસુગુડાઃ ઓડિશામાં શુક્રવારે એક મોટી દૂર્ઘટના સર્જાઇ છે, ઓવરસ્પીડથી આવી રહેલા એર ટ્રકે પોલીસ વેનને જોરદાર ટક્કર મારી હતી. આ દૂર્ઘટનામાં બે પોલીસકર્મીઓના મોત થઇ ગયા હતા, જ્યારે 17 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમને સારવાર માટે હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા છે.


સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, આજે સવારે ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં બેલપહાડની નજીક નેશનલ હાઇવે-49 પર એક પૂરઝડપે આવી રહેલા ટ્રકે પોલીસ વાનને ટક્કર મારી હતી. આ દૂર્ઘટનામાં બે પોલીસ કર્મીઓના મોત થઇ ગયા હતા અને 17 અન્ય ઘાયલ થયા હતા.