નવી દિલ્લી: ભાજપા નેતા રામ માધવે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકી બુરહાન વાનીને હીરો ગણાવવા પર પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ પર નિશાન સાંધ્યુ છે. ગુરુવારે રામ માધવે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાનને સંયુક્ત રાષ્ટ્રમાં આપેલું નિવેદન અત્યાર સુધીનું સૌથી ખરાબ નિવેદન છે. તે પાકના પીએમ નહીં પરંતુ હિઝબુલ મુઝાહિદીનના સુપ્રીમ કમાંડરની જેમ બોલી રહ્યા છે.


તેમને કહ્યું કે, તે બધાંની વચ્ચે જાહેરમાં હિઝબુલ મુઝાહિદ્દીનની વાત કરી રહ્યા હતા. તેના પછી પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટે દુનિયાને હવે કોઈ પ્રમાણ જોઈતું નથી.

તેમને કહ્યું, ભારતે દસ વખત કહ્યું છે કે પાક એક આતંકી દેશ છે, અમે દુનિયાભરમાં પાકિસ્તાનને બેનકાબ કરીશું. જનતાના ગુસ્સાને સરકાર સમજે છે.