નવી દિલ્હી: પાકિસ્તાન દ્વારા સીમા પારથી કરવામાં આવતા ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાન સેનાની ચોકીઓને તોડી પાડી હતી. સાથે જ 3-4 પાકિસ્તાની રેન્જર્સને પણ ઠાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને પૂંછ રાજૌરી સેક્ટરમાં ગુરુવારે રાતે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને મોર્ટાર છોડ્યા હતા.


અગાઉ પણ બુધવારે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા જમ્મુ-કાશ્મીરના ઉરીમાં મોર્ટાર છોડ્યા હતા અને ગોળીબાર કર્યો હતો. જેમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થઈ ગયા હતા. ભારત તરફથી સેનાએ પાકિસ્તાનને આર્ટિલરી અને મોર્ટારથી જવાબ આપ્યો હતો.ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની ઘણી ચોકી બરબાદ થઈ ગઈ હતી. ત્યારે પાકિસ્તાને પણ સ્વીકાર્યું હતું કે આ દરમિયાન પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના દેવા સેક્ટરમાં તેમના બે જવાનના મોત થયા છે.