New Parliament Inauguration:  સંસદના નવા ભવનનાં ઉદ્ઘાટન સમારોહને લઈને હોબાળો મચી ગયો છે. 19 વિપક્ષી પાર્ટીઓએ સામૂહિક રીતે સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. સરકારે વિપક્ષના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. દરમિયાન બીજુ જનતા દળ (બીજેડી) અને શિરોમણી અકાલી દળ (એસએડી) સહિત કેટલાક અન્ય પક્ષોએ સમારોહમાં હાજરી આપવાની જાહેરાત કરી અને કહ્યું હતું કે તેઓ આ મુદ્દે રાજકારણ નહીં કરે.


 



  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (28 મે) ના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહ માટે તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિપક્ષની માંગ છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઈમારતનું ઉદ્ઘાટન કરવું જોઈએ.

  2. બુધવારે વિપક્ષના 19 પક્ષોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને સમારોહના બહિષ્કારની જાહેરાત કરી હતી. જેમાં વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર હેઠળ સંસદમાંથી લોકશાહીની ભાવના દૂર કરવામાં આવી છે અને રાષ્ટ્રપતિને સમારોહથી દૂર રાખવાનું અભદ્ર કૃત્ય સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન અને લોકશાહી પર સીધો હુમલો છે.


 



  1. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે , જનતા દળ (યુનાઈટેડ), આમ આદમી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ ઉદ્ધાટન સમારોહનો સંયુક્ત બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.


 



  1. જે પક્ષોએ સંયુક્ત રીતે ઉદ્ધાટન સમારોહનો કર્યો તેમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, ઝારખંડ મુક્તિ મોરચા, નેશનલ કોન્ફરન્સ, કેરળ કોંગ્રેસ (મણિ), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી, વિદુથલાઈ ચિરુથિગલ કાટ્ચી (VCK), મારુમાલાર્ચી દ્રવિડ મુન્નેત્ર કષગમ (MDMK) અને રાષ્ટ્રીય લોકદળનો સમાવેશ થાય છે. પણ સામેલ છે. આ સિવાય તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆરની પાર્ટી BRS અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ પણ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. યુપીના પૂર્વ સીએમ માયાવતીની બસપાએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.

  2. એનડીએએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાના રાજકીય પક્ષોના નિર્ણયની નિંદા કરી છે. NDAએ એક નિવેદનમાં કહ્યું કે આ જાહેરાત માત્ર અપમાનજનક નથી, તે આપણા મહાન રાષ્ટ્રના લોકતાંત્રિક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોનું ઘોર અપમાન છે. NDA સ્પષ્ટપણે વિપક્ષના નિર્ણયની નિંદા કરે છે.


 



  1. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના બીજુ જનતા દળે વિપક્ષના બહિષ્કાર વચ્ચે આ કાર્યક્રમમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. બીજેડીએ કહ્યું કે રાષ્ટ્રપતિ દેશના વડા છે અને સંસદ 1.4 અબજ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. બંને સંસ્થાઓ ભારતીય લોકશાહીના પ્રતીકો છે અને ભારતના બંધારણમાંથી પોતાના અધિકારો પ્રાપ્ત કરે છે. આ બંધારણીય સંસ્થાઓ કોઈપણ મુદ્દાથી ઉપર હોવી જોઈએ. આવા મુદ્દાઓ પર હંમેશા પછીથી ચર્ચા થઈ શકે છે.


 



  1. BJD ઉપરાંત શિરોમણી અકાલી દળ (SAD) પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. પાર્ટીના નેતા દલજીત સિંહ ચીમાએ બુધવારે કહ્યું કે પાર્ટી અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ 28 મેના રોજ દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. તેમણે કહ્યું કે દેશને નવું સંસદ ભવન મળી રહ્યું છે અને તે ગર્વની ક્ષણ છે. અમે નથી ઈચ્છતા કે આ સમયે કોઈ રાજનીતિ થાય. આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરસીપી અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપી પણ ઉદ્ઘાટનમાં ભાગ લેશે.


 



  1. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે જણાવ્યું હતું કે ઉદ્ઘાટન માટે તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ તેમની વિવેકબુદ્ધિ અનુસાર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે બ્રિટિશ સરકાર પાસેથી ભારતમાં સત્તા હસ્તાંતરણના પ્રતીક તરીકે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઐતિહાસિક સેંગોલ નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. સેંગોલ હવે અલ્હાબાદના એક સંગ્રહાલયમાં છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમને રાજકારણ સાથે ન જોડવો જોઈએ.