નવી દિલ્લી: નોટબંધીના મુદ્દે શિયાળુ સત્રમાં સંસદની કામગીરી થઈ શકી નથી. શનિ-રવિની રજા બાદ સંસદની કામગીરી આજે ફરી શરૂ થશે પરંતુ સંસદના બન્ને સત્રો આજે પણ તોફાની રહેવાની શકયતા છે. કાળા નાણાં મુદ્દે પ્રધાનમંત્રીએ વિપક્ષ પર લગાવેલા આક્ષેપોને વિપક્ષે રાજકીય પક્ષોનું અપમાન ગણાવ્યું છે અને પ્રધાનમંત્રી આ મુદ્દે રાજ્યસભામાં માફી માંગે તેવી માંગ સાથે વિપક્ષ રાજ્યસભામાં હોબાળો મચાવી રહ્યું છે. બીજી તરફ પીએમ માફી નહીં માંગે તેવા સ્પષ્ટ સંકેત સરકારે આપી દીધા છે. નોટબંધીના મુદ્દે તમામ સાંસદોને હાજર રહેવા માટે કોંગ્રેસે વ્હીપ આપ્યુ છે.