મસૂદ અઝહરને UN દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવ્યા બાદ મોદીએ શું કહ્યું, જુઓ વીડિયો
abpasmita.in | 01 May 2019 09:07 PM (IST)
PM મોદીએ કહ્યું, વિશ્વમાં આજે ભારતની તાકાત વધી છે. મસૂદ પર કાર્યવાહી તો માત્ર શરૂઆત છે, પરંતુ આગળ આગળ જોતા જાવ શું થાય છે.
જયપુરઃ ગુલાબીનગરી જયપુરમાં ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હાલ અમેરિકાથી રિપોર્ટ આવી રહ્યો છે કે આજે યુએને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આતંકવાદને જડમૂળથી ઉખાડવા માટે ભારત જે પ્રયત્ન કરતું હતું તેમાં આ મોટી સફળતા છે. વિશ્વમાં આજે ભારતની તાકાત વધી છે. મસૂદ પર કાર્યવાહી તો માત્ર શરૂઆત છે, પરંતુ આગળ આગળ જોતા જાવ શું થાય છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે કાર્યવાહી ચાલતી હતી ત્યારે નામદાર મારી મજાક ઉડાવતા હતા. આટલા દિવસોથી મોદીની મજાક ઉડાવનારાને હું કહેવા માંગુ છું કે આ માત્ર મોદીની સફળતા નથી, પરંતુ 130 કરોડ હિન્દુસ્તાનીઓની સફળતા છે. હું આશા રાખું છું કે તેઓ આજે ખુશી મનાવશે.