રામ જન્મભૂમિ પૂજનઃ 5 ઓગસ્ટ બુધવારે થનારા રામ જન્મભૂમિ પૂજન કાર્યક્રમની સમગ્ર દેશ રાહ જોઈ રહ્યું છે. આ કાર્યક્રમ માટે પીએમ મોદી 5 ઓગસ્ટે અયોધ્યા જશે અને આ ભૂમિ પૂજન કરશે. આ કાર્યક્રમમાં દેશના 170 ગણમાન્ય લોકો સામેલ થવા જઈ રહ્યા છે.


પ્રધાનમંત્રીનો મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ

પાંચ ઓગસ્ટની સવારે દિલ્હી એરપોર્ટથી 9-35 કલાકે વિશેષ વિમાનથી નીકળી પીએમ મોદી 10-35 કલાકે લખનઉના અમૌસી એરપોર્ટ પહોંચશે. જ્યાં તેઓ 10-40 કલાકે હેલિકોપ્ટરથી અયોધ્યા જવા માટે નીકલળશે. અયોધ્યા સ્થિત સાકેત મહાવિદ્યાલમાં બનેલ હેલીપેડ પર સવારે 11-30 કલાકે ઉતરશે. અહીંથી પાંચ મિનિટ બાદ રોડ મારફતે ચાલીને 11-40 કલાકે હનુમાનગઢી પહોંચશે. ત્યાં દસ મિનિટ પૂજા દર્શન કરશે અને ત્યાર બાદ 11-55 કલાકે હનુમાનગઢીથી ચાલીને પાંચ મિનિટ બાદ ઠીક 12 કલાકે રામજન્મભૂમિ પરિસર પહોંચી જશે.

પીએમ મોદીનો આગળનો કાર્યક્રમ

પહેલા 10 મિનિટમાં તેઓ વિરાજમાન રામલલાના દર્શન પૂજન કરશે. 12-15 કલાકે દસ મિનિટની વચ્ચે પરિસરમાં પરિજાત અને વૃક્ષારોપણ કરશે. ત્યાર બાદ 12-30 કલાકે ભૂમિપૂજન કાર્યક્રમ શરૂ થશે જે ઠીક 10 મિનિટ સુધી ચાલશે. ત્યાર બાદ શ્રીરામજન્મભૂમિ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમના જાહેર સમારોહમાં સામેલ થશે, જે અંદાજે સવા કલાક સુધી ચાલશે. અહીંથી 2-05 કલાકે સાકેત મહાવિદ્યાલય હેલિપેડ માટે રવાના થશે. ત્યાં 2-15 કલાકે પહોંચશે અને ઠીક પાંચ મિનિટ પછી 2-20 કલાકે હેલિકોપ્ટરથી લખનઉ રવાના થશે.

આ રીતે પીએમ મોદી અયોધ્યામાં ત્રણ કલાક રોકાશે અને તેમના કાર્યક્રમમાં હનુમાનગઢી દર્શન પૂજન અને રામ મંદિરના ભૂમિપૂજન ઉપરાંત પારિજાત અને વૃક્ષારોપણનું પણ આયોજન હશે.