લોકડાઉન વધશે કે નહી? વડાપ્રધાન મોદી આજે સવારે કરશે દેશને સંબોધન?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Apr 2020 02:28 PM (IST)
કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો આવતીકાલે અંતિમ દિવસ છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો આવતીકાલે અંતિમ દિવસ છે. વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે દેશને સંબોધશન કરશે. આ અંગે પીએમઓએ ટ્વિટ કરી જાણકારી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી આવતીકાલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવામાં આવી શકે છે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા પર સહમતિ વ્યક્ત કરી હતી. લોકડાઉનમાં વધારો કરવામાં આવશે કે નહી તેને લઇને વડાપ્રધાન મોદી જાહેરાત કરી શકે છે. વડાપ્રધાન મોદીના નિર્દેશ બાદ મંત્રીઓએ આજે ઓફિસ જઇને કામ શરૂ કર્યું છે. કેન્દ્રિય મંત્રી અર્જુન મુંડા સિવાય પ્રકાશ જાવડેકર, કિરણ રિજિજૂ સહિત અનેક મંત્રી આજે ઓફિસ પહોંચ્યા હતા.