PM Modi Diwali Plan: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પહેલા કેદારનાથ અને બદ્રીનાથ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી 22 અને 23 ઓક્ટોબરે ઉત્તરાખંડના પ્રવાસે હશે. સૌથી પહેલા 22 ઓક્ટોબરે પીએમ મોદી કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ 22 ઓક્ટોબરે સાંજે તેઓ બદ્રીનાથ ધામ પહોંચશે. પીએમ મોદી યાત્રાધામો પર ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી સરહદ પર તૈનાત જવાનો સાથે દિવાળી મનાવી શકે છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા સંભાળી અને ત્યારથી તેઓ સેનાની અલગ-અલગ પોસ્ટની મુલાકાત લઈને દિવાળીની ઉજવણી કરતા જોવા મળે છે. પીએમ મોદીએ 2016માં હિમાચલ પ્રદેશના ચાંગો ગામમાં દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન જવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે વર્ષ 2017 માં પીએમ મોદી દિવાળી મનાવવા માટે જમ્મુ-કાશ્મીરની ગુરેઝ ઘાટી પહોંચ્યા હતા. અહીં તેમણે સેનાના જવાનોને પણ સંબોધિત કર્યા હતા.


2018 અને 2019 ની દિવાળી


વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2018માં દિવાળીની ઉજવણી કરવા ઉત્તરાખંડના હરસિલ પહોંચ્યા હતા. અહીં તેમણે સેનાના જવાનો સાથે પવિત્ર તહેવાર પર ખુશીઓ વહેંચી હતી. 2019 માં ભાજપે લોકસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવી અને પીએમ મોદી દિવાળીની ઉજવણી કરવા જમ્મુ અને કાશ્મીરના રાજૌરી પહોંચ્યા હતા.


લોંગેવાલા પોસ્ટ અને નૌશેરા ખાતે PMની દિવાળી


લોંગેવાલા પોસ્ટ (રાજસ્થાન) પર તૈનાત સૈનિકો માટે 2020ની દિવાળી ખૂબ જ ખાસ હતી. અહીં દેશના વડાપ્રધાન તેમની વચ્ચે હાજર રહ્યા હતા. કોરોના મહામારી વચ્ચે પીએમ મોદીએ આ પોસ્ટ પર સૈનિકો સાથે વર્ષ 2020ની દિવાળીની ઉજવણી કરી હતી. જ્યારે ગયા વર્ષે એટલે કે 2021 માં પીએમ મોદીએ નૌશેરા (જમ્મુ અને કાશ્મીર) માં દિવાળીનો પવિત્ર તહેવાર ઉજવ્યો હતો. પીએમએ અહીં જવાનોને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે તેઓ માતા ભારતીના સુરક્ષા કવચ છે.


Modi Cabinet Decision: રેલવે કર્મચારીઓને મોદી કેબિનેટની દિવાળી ગિફ્ટ, મળશે બોનસ


IAF MiG 29K Fighter Jet Crash: ગોવાના દરિયામાં MiG 29K ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટનો આબાદ બચાવ


5G Services in India: Airtel-Jio ને ટક્કર આપવા ગૌતમ અદાણી તૈયાર! મળ્યું ફુલ ટાઈમ લાઇસન્સ