નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અટલ ભૂજલ (અટલ જલ) યોજનાનો શુભારંબ કરશે, કેન્દ્રીય કેબિનેટે મંગળવારે આ યોજનાને મંજૂરી આપી દીધી છે. આનુ લક્ષ્ય અત્યાધિક ભૂજલ વાળા રાજ્યોમાં સામુદાયિક હિસ્સેદારીની સાથે ટકાઉ ભૂજલ પ્રબંધન કરવાનું છે.


આ યોજના સાત રાજ્યોમાં પાંચ વર્ષની અવધિમાં લાગુ થશે, આ અંતર્ગત 8350 ગામડાઓને આવરી લેવાશે. આ 6000 કરોડ રૂપિયાની યોજના છે, જેના માટે 3000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને 3000 કરોડ રૂપિયા વિશ્વ બેન્ક આપશે.



અટલ ભૂજલ યોજના અંતર્ગત પાણીના યોગ્ય ઉપયોગ, જલ સુરક્ષા અને ઉપયુક્ત જલ બજેટ પર વધુ જોર આપવામાં આવશે. આનુ લક્ષ્ય વધારે ભૂજલ વાળા રાજ્યો ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સામુદાયિક હિસ્સેદારીની સાથે ટકાઉ ભૂજલ પ્રબંધન કરવાનુ છે. નાણા સમિતી પહેલા જ અટલ ભૂજલ યોજનાની અનુમંશા કરી ચૂકી છે.