વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના પ્રવાસે પહોંચ્યા છે. અહીં ગાજીપુરમાં એક કાર્યક્રમને સંબોધન દરમિયાન કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ અહીં મહારાજ સુહેલદેવ પર એક પોસ્ટકાર્ડ ટીકિટ જાહેર કરી હતી અને એક એક મેડિકલ કોલેજની આધારશિલા પણ રાખી હતી. પીએમ મોદીએ કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કૉંગ્રેસે માત્ર દેવામાફીની લૉલીપોપ આપે છે. સત્તામાં રહેવા છતાં પણ તેઓએ સ્વામીનાથન આયોગની રિપોર્ટને દબાવી દીધો.


તેઓએ કહ્યું કે કૉંગ્રેસના પાપોના કારણે ખેડૂતો ગરીબ અને દેવાદાર છે. યૂપીએના સમયે ખેડૂતો પર છ લાખ કરોડનું દેવું હતું. કૉંગ્રેસે હાલમાં જે દેવામાફીનું વચન આપ્યું છે તે ખોટું છે. પીએમ મોદીએ કહ્યું કે જો કૉંગ્રેસ પાર્ટી સ્વામીનાથન આયોગની રિપોર્ટને માન્યો હોત તો આજે આવી સ્થિતિ ના સર્જાતી.


તેઓએ કહ્યું કે, તમારો ચોકીદાર દિવસ-રાત અને ઇમાનદારીથી કામ કરી રહ્યો છે. ચોકીદારના કારણે અમુક ચોરોની ઊંઘ ઉડી ગઇ છે.  વોટ મેળવવા માટે લોભામણા ઉપાયોનો હશ્ર શું હોય છે તે અત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દેખાઇ રહ્યો છે. સરકાર બદલાતા જ હવે ખાદ્ય અને યૂરિયા માટે લાઇનો લાગી રહી છે. લાઠી ચલાવવામાં આવી રહી છે અને કાળા બજારી કરનારા મેદાનમાં આવી ગયા છે.


તેઓએ કહ્યું કૉંગ્રેસના જુઠ્ઠાણાં અને અપ્રામાણિકતાથી સતર્ક રહો. કૉંગ્રેસના સમયે ખેડૂતોના ખર્ચનો દોઢ ગણું મૂલ્ય આપવાની ભલામણવાળી ફાઇલ વર્ષો સુધી દબાઈ રહી. કર્ણાટકમાં લાખો ખેડૂતોના દેવામાફીનું વચન આપવામાં આવ્યું. ત્યાં કૉંગ્રેસે પાછલા દરવાજેથી સરકાર બનાવી અને ખેડૂતોને દેવામાફીનો લોલીપોપ પકડાવી દીધો. પીએમ મોદીએ કહ્યું આજે જે પણ કામ કરી રહ્યા છે તે પૂરી પ્રામાણિકતા અને ઇમાનદારીથી ખેડૂતોની આવક વધારવા માટે થઈ રહ્યા છે.