લખનઉ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રેદશના બે જિલ્લાના પ્રવાસે છે. પીએમ મોદીએ ચિત્રકૂટના ભારતકુપ ખાતે બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો. 15 હજાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ 296 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે બુંદેલખંડ વિસ્તારને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સાથે જોડશે.


આ અવસર પર પીએમ મોદીએ કહ્યું, બુંદેલખંડના વિકાસને એક્સપ્રેસ વે પર લઈ જનાર બુંદેલખંડ એક્સપ્રેસ વેથી આ વિસ્તારના જન જીવનનો વિકાસ થશે. 15 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ એક્સપ્રેસ-વેથી અહીં રોજગારીની નવી તકો મળશે.

બુંદેલખંડ એક્સપ્રેસ વે ચિત્રકૂટ નજીક ભરતકુપથી શરૂ થશે અને બાટા, હમીરપુર, મહોબા અને ઔરૈયા થઈને ઇટાવાના કુદરૈલ ગામની નજીક યમુના એક્સપ્રેસ વેને મળશે. આ રસ્તાથી બુંદેલખંડથી દિલ્હી સુધી પહોંચવામાં ઘણો સમય બચાવશે.