નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે કેંદ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ મંત્રીઓ સામેલ થશે. મહત્વની વાત એ છે કે બેઠક ત્યારે બોલાવામાં આવી છે જયારે મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડયુ છે.


આમ જોવા જઈએ તો વડાપ્રધાન નરેંદ્ર મોદી આ દર મહિને રેગ્યુલર કેંદ્રીય કેબિનેટની બેઠક બોલાવતા હોય છે. આજની બેઠકમાં પીએમ મોદી મંત્રીઓના કામકાજની સમીક્ષા કરશે. હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, જે રાજયોમાં આગામી ચુટણી યોજાવાની છે તે રાજયોમાંથી કેટલાક નવા મંત્રી કેબિનેટમાં સામેલ થઇ શકે છે.