સૂત્રો જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેના જ્યારે પીઓકેમાં ઘુસીને જૈશના આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી રહી હતી ત્યારે વોર રૂમમાં પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યવાહી પર બાજ નજર રાખીને બેઠા હતા.
એલઓસી પાર કરી ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈકમાં બાલાકોટ, ચકોઠી અને મુજફ્ફરાબાદના ટેરર લોન્ચ પેડને સંપૂર્ણ રીતે નષ્ટ કર્યાં છે. આ સાથે જૈશ-એ-મોહમ્મદનો કંટ્રોલ રૂમ પણ સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખ્યો છે. ભારતીય વાયુસેનાએ આ મોટી કાર્યવાહી કરવા માટે 12 મિરાજ ફાઈટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એટલું જ નહીં, પરંતુ આતંકી કેમ્પોને નષ્ટ કરવા માટે લગભગ 1000 કિલોના બોમ્બ ફેક્યાં હતા. 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. જેની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.