Corona Positive Patients : કોરોના વાયરસનો કહેર ક્યારે પાછો ફરશે તેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી. અત્યારે ચીનમાં કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે. બીજી વેવમાં કોરોનાએ ભારતને ખરાબ રીતે ધમરોળ્યું હતું. વૈજ્ઞાનિકો કોરોનાને લઈને નવા સંશોધન કરી રહ્યા છે અને નવી નવી બાબતો સામે આવી રહી છે.


એક નવા સંશોધન મુજબ, કેટલાક દર્દીઓ જે કોરોના પોઝિટિવ છે તેઓને કોવિડ પછીની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાયરસે શરીર પર ઊંડી અસર છોડી છે, જેમાંથી ઝડપથી સાજા થવું શક્ય નથી. નોંધપાત્ર રીતે, પોસ્ટ કોવિડને કારણે મુશ્કેલીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, કોવિડ-19 દર્દીઓમાં સંક્રમિત થયા પછી ઓછામાં ઓછા 18 મહિના સુધી મૃત્યુનું જોખમ વધી જાય છે.


આ પહેલા પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં એવું જોવા મળ્યું છે કે રોગચાળામાંથી સાજા થયા પછી પણ લોકોના મોત થયા હોય. આ રિપોર્ટ એવા લોકો માટે ચિંતાજનક છે જેઓ 18 મહિનાથી ઓછા સમયથી કોરોના પોઝિટિવ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસ અસર લગભગ અઢાર મહિના સુધી શરીર પર અસર કરે છે. આ દરમિયાન મોકો મળતાં જ તે શરીર પર હુમલો કરે છે, જેમાં જીવ પણ જઈ શકે છે.


મૃત્યુનું જોખમ વધુ


યૂરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીના જર્નલ કાર્ડિયોવાસ્ક્યુલર રિસર્ચમાં પ્રકાશિત લગભગ 1 લાખ 60 હજાર લોકો પરના અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે જે લોકો કોરોનાનો શિકાર બન્યા છે તેમને સામાન્ય લોકોની સરખામણીમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગો થવાની શક્યતા વધી જાય છે. જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે.


યુનિવર્સિટી ઓફ હોંગકોંગના પ્રોફેસર ઈયાન સીકે ​​વોંગે જણાવ્યું છે કે, લગભગ એક વર્ષ સુધી કોવિડ-19ના દર્દીઓનું યોગ્ય રીતે ધ્યાન કરવું જોઈએ. કોવિડ-19ના દર્દીઓ ચેપના પ્રથમ ત્રણ અઠવાડિયામાં ચેપગ્રસ્ત વ્યક્તિઓ કરતા 81 ગણા વધુ મૃત્યુ પામે છે. વધારે છે અને 18 મહિના પછી પાંચ ગણું વધારે છે.


India : કોરોનાના કકળાટ વચ્ચે ભારત માટે નવી મોકાણ, 2024 સુધીમાં આ બિમારીની આવશે સુનામી


વિકાસની રફ્તાર પર સવાર ભારતને લઈને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. જેને લઈને સરકારની સાથે-સાથે સામાન્ય લોકોની પણ ચિંતા વધી શકે છે. અમેરિકન ઓન્કોલોજિસ્ટ ડૉ. જેમ અબ્રાહમ દાવો કરે છે કે આવનારા સમયમાં ભારતમાં કેન્સર જેવી ગંભીર બીમારીની સુનામી આવશે. ઓન્કોલોજિસ્ટ્સે તેની પાછળ કેટલાક મોટા કારણો આપ્યા છે જેમ કે વૈશ્વિકીકરણ, વધતી જતી અર્થવ્યવસ્થા, વૃદ્ધાવસ્થા અને જીવનશૈલીમાં ફેરફાર.


ડૉ.અબ્રાહમના કહેવા પ્રમાણે જે રીતે ગંભીર બીમારીઓ ભારત તરફ આગળ વધી રહી છે તેને રોકવા માટે મેડિકલ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે.