પદ્મ એવોર્ડઃ પ્રભુદેવા, શંકર મહાદેવનને રાષ્ટ્રપતિએ કર્યા સન્માનિત
abpasmita.in | 11 Mar 2019 03:16 PM (IST)
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે 2019 માટે અહીં રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યા. અભિનેતા તથા ડાન્સર પ્રભુદેવા, દિવંગત પત્રકાર કુલદીપ નૈય્યર (મરણોપરાંત સન્માનિત) અને ઉદ્યોપતિ જૉન ચેમ્બર્સ પદ્મ પુરસ્કારથી સન્માનિત થનારા લોકોમાં સામેલ રહ્યાં. પદ્મ પુરસ્કાર રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પ્રદાન કરવામાં આવ્યા. આ વર્ષે ગણતંત્ર દિવસ પર ચાર પદ્મ વિભૂષણ, 14 પદ્મ ભૂષણ અને 94 પદ્મશ્રી સહિત 112 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. પુરસ્કાર મેળવનારોઓમાં 21 મહિલાઓ, 11 વિદેશી/અનિવાસી ભારતીય/ ભારતીય મૂળના વ્યક્તિ/ ભારતના ઓવરસીઝ નાગરિક, એક ટ્રાન્સજેન્ડર સામેલ હોવાની સાથે ત્રણને મરણોપરાંત પુસ્કાર મળ્યો. આમાં એક્ટર કાદર ખાનનું નામ પણ સામેલ છે.