નવી દિલ્હીઃ આ સવાલનો જવાબ અવિભાજિત ભારતના એ સમયમાં મળે છે જ્યારે દેશ આઝાદ જ થવાનો હતો. 3 જૂન 1947થી સ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ. આ એ દિવસ હતો જ્યારે ભારતમાં બ્રિટિશ સ્શાનના સૌથી મોટા અધિકારી, વોયસરોય, લોર્ડ લુઈ માઉન્ટેબનટે એક મોટી જાહેરાત કરી. આ જાહેરાત હતી કે ભારત બ્રિટેનથી આઝાદ હશે. આ જાહેરાતની સાતે ભારતના ભાગલા નક્કી થઈ ગયા હતા.


ભાગલા બાદ સૌથી મોટો સવાલ હતો કે રજાવાડાઓનું શું થશે જેની સાથે બ્રિટિશ સરકારે કરાર કર્યા હતા. કારણ કે એ રજવાડા હવે આઝાદ થઈ જશે. આઝાદ દેશની જેમ કામ કરવા લાગશે. આ રીતે દેશભરમાં અંદાજે 600 જેટલા નાના મોટા રજવાડા હતા. આ જાહેરાત બાદ કેટલાક રજવાડા ખુદને આઝાદ થવાની જાહેરાત કરી દીધી. જ્યારે જમ્મુ કાશ્મીર શાસનને ખુદને સ્વતંત્ર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી.

આવા અનેક સવાલો ઉપરાંત કાશ્મીર વિશે નેહરુની શું યોજના હતી? સરદાર પટેલ અને આર્ટિકલ 370ની કહાની, શા માટે નેહરૂ જમ્મુ કાશ્મીરની સત્તા શેખ અબ્દુલ્લાને આપવા માગતા હતા? આવા તમામ સવાલોના જવાબ જાણવા માટે એબીપી અસ્મિતા લઈને આવી રહ્યું છે પ્રધાનમંત્રી-1 સીરીઝ.

પ્રધાનમંત્રી-2 સીરીઝ 22 ફેબ્રુઆરીથી દર શનિવારે રાત્રે 10 કલાકે અને રવિવારે સવારે 11-30 કલાકે જોવા મળશે.