પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારીકાને ભારત રત્નથી કરાયા સન્માનિત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Aug 2019 07:03 PM (IST)
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ગુરૂવારે દેશનુ સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ જનસંઘના નેતા નાનાજી દેશમુખ અને પ્રખ્યાત ગાયક ભૂપેન હજારિકાને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ગુરૂવારે દેશનુ સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ જનસંઘના નેતા નાનાજી દેશમુખ અને પ્રખ્યાત ગાયક ભૂપેન હજારિકાને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે ભારત રત્ન સમ્માન આપવાની જાહેરાત ગણતંત્ર દિવસ પર કરવામાં આવી હતી. ભૂપેન હજારિકાને મરણોપરાંત સમ્માન મળ્યું. તેમના દિકરા તેજ હજારિકાએ પોતાના પિતા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે સમ્માન ગ્રહણ કર્યું. નાનાજી દેશમુખ તરફથી દીનદયાલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન વીરેંદ્રજીત સિંહે આ સમ્માન ગ્રહણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 2017માં રાષ્ટ્રપતિ પદ પરથી નિવૃત થયેલા પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાનો નિર્ણય ચોંકવનારો હતો. કારણ કે પ્રણવ મુખર્જીની ગણતરી કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થાય છે, જેમણે પોતાના રાજકીય જીવન દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની વિચારધારા સામે લડતા રહ્યા છે. પરંતુ, પ્રણવ મુખર્જીના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે સારા સંબંધો રહ્યા છે.