નવી દિલ્હી: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રશાંત કિશોરને પોતાના મુખ્ય સલાહકાર નિયુક્ત કર્યા છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે પોતે ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી હતી. તેમણે લખ્યું, 'પંજાબના લોકોની ભલાઈ માટે એક સાથે કામ કરવા માટે તત્પર છીએ.'


ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હાલના દિવસોમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ(ટીએમસી) અને તમિલનાડુમાં ડીએમકેનું કામકાજ સંભાળી રહી છે.



આ પહેલા પ્રશાંત કિશોર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી માટે કામ કરી ચૂક્યા છે.

પશ્ચિમ બંગાળમાં તેમણે દાવો કર્યો છે કે ભાજપ બે આંકડામાં જ જીત મેળવશે. તેમણે રવિવારે ટ્વિટ કરી કહ્યું કે રાજ્યના લોકો ઈચ્છે છે કે તેમની બેટી સત્તામાં પરત આવે અને બે મેના ચૂંટણી પરિણામની જાહેરાત સાથે તેમના આ ટ્વિટને લોકો જોઈ શકે છે.

તેમણે ટ્વિટ કર્યું, ‘‘ભારતમાં લોકતંત્ર માટે એક મહત્વપૂર્ણ લડાઈ પશ્ચિમ બંગાળમાં લડવામાં આવશે અને બંગાળના લોકો પોતાનો સંદેશ આપવા માટે તૈયાર છે. 2 મે માટે મારા આ ટ્વિટને રાખજો.’’