Price Hike Essential Drugs : 1 એપ્રિલથી લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. લોકોને હવે ઘણી જરૂરી દવાઓ (આવશ્યક દવાઓની કિંમતમાં વધારો) માટે વધુ પૈસા ખર્ચવા પડે છે. હવે આ મામલે સ્વાસ્થ્ય મંત્રાલયે દવાઓની કિંમત અંગે સ્પષ્ટતા આપી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, ડ્રગ દવાઓની કિંમતમાં 112 ટકાનો વધારો નથી થયો પણ 6 ટકા સસ્તી બની છે. કેવી રીતે ભાવ ઘટ્યા તેને લઈને પણ સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે.



આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, પ્રાઇસિંગ કંટ્રોલ ઓર્ડર 2013માં એવી જોગવાઈ છે કે, આવશ્યક દવાઓની કિંમતો વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) અનુસાર નક્કી કરવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, મંત્રાલય આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી (NELM) જારી કરે છે. સપ્ટેમ્બર 2022માં આરોગ્ય મંત્રાલય દ્વારા NELMમાં 870 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી 651ની કિંમત નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત દવાઓના ભાવમાં 16 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે WPI મુજબ, દવાઓના ભાવ 12 ટકા મોંઘા થવાને બદલે 6.73 ટકા ઘટ્યા છે. આ કિંમતો 1 એપ્રિલથી લાગુ થઈ ગઈ છે.

આ ભાવ વધારવાનો નિયમ

ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે, દવાઓના ભાવ કેવી રીતે વધે છે. આ માટે શું નિયમ છે. જાહેર છે કે, દવાના ભાવ નિયમનકાર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) પાસે ગત કેલેન્ડર વર્ષના વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) મુજબ દર વર્ષે 1 એપ્રિલના રોજ અથવા તે પહેલાં દવાઓના ભાવમાં સુધારો અથવા વધારો કરવાની સત્તા છે. અનુસૂચિત ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર 2013ની કલમ 16 એ પહેલાથી જ કિંમતમાં સુધારો કરવા અને વધારવા માટે નિયમો નક્કી કર્યા છે. આ અંતર્ગત NPPA દર વર્ષે દવાઓના ભાવમાં વધારો કરે છે અથવા તેમાં સુધારો કરે છે.

Coronavirus : દેશમાં વધતા કોરોના વાયરસના કેસો અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સતર્ક, આરોગ્ય સચિવે રાજ્યોને લખ્યો પત્ર

દેશમાં ફરી એક વાર કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે.  દેશમાં વધતા જતા કોરોના વાયરસના કેસોને કારણે  કેન્દ્ર સરકાર સતર્ક થઇ છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવે રાજ્યોના અગ્ર સચિવોને કોરોના વાયરસના વધતા કેસો અંગે પત્ર લખ્યો છે.  આ પત્રમાં રાજ્યોને ટેસ્ટિંગ વધારવા સૂચના અપાઈ છે. RTPCR ટેસ્ટની સંખ્યા વધારવા સહિતની વિગતો દર્શાવવા પણ સૂચના અપાઈ છે. સેંપલના જીનોમ સિક્વન્સ માટે સૂચના અપાઈ છે.

દેશમાં વધી રહ્યાં છે  કોરોના વાયરસના કેસ

દેશમાં દરરોજ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતમાં કોરોનાના વધતા કેસ ફરી એકવાર લોકો માટે ખતરો બની શકે છે. ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 9 જૂનના રોજ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 7,240 નવા કેસ નોંધાયા છે. જોકે, મૃત્યુઆંક સ્થિર રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 8 લોકોના મોત થયા છે.કોરોનાના કેસોમાં વધારાને જોતા, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી અને કર્ણાટકમાં કોરોનાની સ્થિતિ પર નજીકથી નજર રાખવાનું શરૂ કર્યું છે. મંત્રાલયે તમામ રાજ્યોને ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ યોગ્ય પ્રેક્ટિસ જેવી પાંચ-પાંખવાળી વ્યૂહરચનાનું પાલન કરવા જણાવ્યું છે.