પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 60મી વખત મન કી બાત દ્વારા દેશને સંબોધન કરી રહ્યા છે. તેમણે તમામ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના આપી જણાવ્યું, આજની પેઢી ખૂબ પ્રતિભાશાળી છે જેનો આપણે સૌ અનુભવ કરીએ છીએ. આ સોશિયલ મીડિયાનો યુગ છે. લોકો સિસ્ટમને ફોલો પણ કરે છે. આપણા દેશના યુવાનોને અરાજકતા પ્રત્યે નફરત છે, તઓ ભેદભાવને પસંદ કરતા નથી.


સ્વામી વિવેકાનંદે કહ્યુ હતું, આપણો વિશ્વાસ યુવા પેઢીમાં છે. તેમણે કહ્યું હતું, યુવાવસ્થાની કિંમતને ન તો આંકી શકાય  થે કે ન તો તેનું વર્ણન કરી શકાય છે.આ સૌથી મૂલ્યવાન સમય છે. કન્યાકુમારી વિશ્વ માટે તીર્થક્ષેત્ર બન્યું છે. સ્વામીજીના સ્મારકે દરેક લોકોને રાષ્ટ્રભક્તિ માટે પ્રેરિત કર્યુ છે.


ઉત્તરપ્રદેશમાં કેટલીક મહિલાઓએ સમગ્ર વિસ્તારને પ્રેરણા આપી છે. તેમણે સાબિત કરી દીધું કે જો એકજૂથ થઈને કામ કરવામાં આવે તો બધાની મદદ થઈ શકે છે. ફૂલહારની મહિલાઓ ભેગા મળીને ચપ્પલ બનાવે છે અને આ ચપ્પલને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ગાંધીજીએ આત્મનિર્ભર બનવાનો રસ્તો બતાવ્યો હતો. જે સ્વતંત્ર ભારતમાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ તે માટે અનેક લોકોએ બલિદાન આપ્યું છે. આપણે બે ત્રણ વર્ષ સુધી સ્થાનિક સામાન ખરીદવાનો સંકલ્પ લઈએ. આ માટે યુવાનો આગળ આવે અને લોકોને પ્રેરિત કરે.

સૂર્યગ્રહણનો ઉલ્લેખ કરી જણાવ્યું, ભારતમાં ખગોળ વિજ્ઞાનનો ગૌરવશાળી ઈતિહાસ છે. દેશના અલગ-અલગ સ્થાનમાં આવેલા જંતર-મંતરનો ખગોળ વિજ્ઞાન સાથે ઊંડો સંબધ છે. આપણી પાસે પુણા નજીક વિશાળ ટેલિસ્કોપ છે. લદ્દાખમાં પણ પાવરફૂલ ટેલિસ્કોપ છે. 2015માં બેલ્જિયમના પ્રાઇમ મિનિસ્ટર અને મેં નાનીતાલમાં ટેલિસ્કોપનું ઉદ્ઘાટન કર્યું. જે એશિયામાં સૌથી મોટું છે. ઈસરો આદિત્ય નામનો સેટેલાઇટ પણ લોન્ચ કરવાનું છે.


છેલ્લા 6 મહિનાં 17મી લોકસભાના બંને ગૃહોના સભ્યો ઘણા પ્રોડક્ટિવ રહ્યા છે. આ માટે તમામ સાંસદો અભિનંદનને પાત્ર છે. સાંસદોએ 60 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

જાન્યુઆરીમાં તહેવાર મનાવવામાં આવશે. આ તહેવારો ખેડૂતો સાથે જોડાયેલા છે અને ભારતની વિવિધતાની યાદ અપાવે છે. 2020માં ફરી મળીશું. નવો ઉંમગ, નવો ઉત્સાહ, આવો નીકળી પડીએ. ઘણું કરવાનું છે, દેશને નવી ઊંચાઈ પર પહોંચાડવાનો છે.


ગત મન કી બાત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ વિવિધ મુદ્દાઓ વચ્ચે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટથી લઈ પ્લાસ્ટિક મુક્ત ભારત અને અયોધ્યા મંદિર પર સુ્પ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો.