CAA Protest: દિલ્હીમાં ટ્રાફિક જામ, લાલ કિલ્લા પાસે લગાવવામાં આવી કલમ 144
abpasmita.in | 19 Dec 2019 11:10 AM (IST)
રાજધાની દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનના કારણે સામાન્ય લોકોને વાહનવ્યવહાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પ્રદર્શનને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં ઘણા મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયા છે.
નવી દિલ્હીઃ દિલ્હીના અનેક વિસ્તારોમાં આજે સવારથી ટ્રાફિક જામ છે. નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) સામે પ્રદર્શનના કારણે અનેક જગ્યાએ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. દિલ્હીના લાલ કિલ્લા સહિત અનેક ઘણા વિસ્તારોમાં કલમ 14 લાગુ કરી દેવામાં આવી છે. ઉપરાંત જામિયા, શાહિન બાગ, મુનરિકા, જસોલા વિહાર, લાલ કિલ્લા, જામા મસ્જિદ, ચાંદની ચોક, યુનિવર્સિટીના મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસે પહેલાં જ જનહિતમાં વિરોધ પ્રદર્શન નહીં કરવા દેવામાં આવી તેવી જાહેરાત કરી હતી. રાજધાની દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનના કારણે સામાન્ય લોકોને વાહનવ્યવહાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પ્રદર્શનને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં ઘણા મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયા છે. ઉપરાંત પટેલ ચોક, લોક કલ્યાણ માર્ગ, ઉદ્યોગ ભવન, આઈટીઓ, પ્રગતિ મેદાન અને ખાન માર્કેટ પર પણ અવરજવર બંધ કરાઈ છે. મુસાફરો આ મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ નહીં કરી શકે. આ ઉપરાંત આ સ્ટેશન પર મેટ્રો ટ્રેન પણ નહીં ઊભી રહે. ભારત અમારા માટે વિશ્વસનીય, બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી ઘણી મહત્વપૂર્ણઃ US વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન IPL હરાજીઃ 14થી 48 વર્ષના ખેલાડી છે સામેલ, જાણો કઈ બેસ પ્રાઇસમાં કેટલા છે ખેલાડી રોહિત શર્માને એમ જ નથી મળ્યું ‘હિટમેન’નું બિરુદ, 2017થી આ મામલે છે નંબર-1