પુણે: પુણેની પાસે આવેલા ઉરુલી દેવાચા ગામમાં કપડાંના ગોડાઉનમાં આજે વહેલી સવારે 4 કલાકે આગ લાગી હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં 5 મજૂરોના મોત થયા છે. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમણે આગ પર કંટ્રોલ મેળવી લીધો હતો.


પોલીસ અને પ્રશાસનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અહીં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગમાં ઘાયલ લોકોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે ગોડાઉનમાં આગ લાગી ત્યારે પાંચથી સાત મજૂરો એક રૂમમાં ઉંઘી રહ્યા હતા. આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી.

12 સાયન્સનું 71. 90 ટકા પરિણામ જાહેર, 35 સ્કૂલોનું 100 ટકા પરિણામ

IPLના ઇતિહાસમાં આ રીતે આઉટ થનારો બીજો ખેલાડી બન્યો અમિત મિશ્રા, જાણો વિગત

કેદારનાથના કપાટ ખૂલ્યા, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર, જુઓ વીડિયો

ધો-12 સાયન્સનું પરિણામ જાહેરઃ છોકરા-છોકરીમાંથી કોણ મારી ગયું બાજી, કયો જિલ્લો ટોપ પર? જુઓ વીડિયો


ધોરણ-12 સાયન્સનું પરિણામઃ રાજકોટ જિલ્લાનું સૌથી વધુ પરિણામ, વિદ્યાર્થીઓ ઘૂમ્યા ગરબે, જુઓ વીડિયો