ચંડીગઢ: પંજાબના મોહાલી જિલ્લામાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતા અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે ખરડ-લાંદરા માર્ગ પર આ બિલ્ડિંગ નીચે એક જેસીબી મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું કે કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા માટે બચાવ અભિયાન શરૂ કરી દીધું છે.


મોહાલીના એસડીએમ હિમાંશુ જૈને જણાવ્યું કે હાલમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ નીચે 6-7 લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે. એનડીઆરએફની ટીમ અને અન્ય કર્મચારી રેસ્ક્યૂ અભિયાનમાં જોડાયા છે.