COVID-19: હવે દેશના આ રાજ્યમાં દરરોજ લાગુ થશે નાઈટ કર્ફ્યૂ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Aug 2020 07:19 PM (IST)
Punjab Lockdown From 21 August: હવે રોજ સાંજના સાત વાગ્યાથી લઈને સવારના પાંચ વાગ્યા સુધી રાજ્યના તમામ 167 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ થશે.
ચંદીગઢ: કોરોના વાયરસની મહામારીને લીને પંજાબમાં કાલથી દરરોજ નાઈટ કર્ફ્યૂ લાગુ થશે. રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેની જાહેરાત કરી છે. હવે રોજ સાંજના સાત વાગ્યાથી લઈને સવારના પાંચ વાગ્યા સુધી રાજ્યના તમામ 167 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ થશે. વીકેન્ડ લોકડાઉનને પણ 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. આ સાથે જ મુખ્યમંત્રી કાર્યાલયે જાણકારી આપી છે કે મુખ્યમંત્રીએ 31 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં યોજાનારા લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કારને બાદ કરતા તમામ પ્રકારના અન્ય સમારોહ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ કર્યો છે. સરકારી અને પ્રાઈવેટ કાર્યાલયમાં આ મહિનાના અંત સુધી 50 ટકાની ક્ષમતા સાથે કામ કરવામાં આવશે.