નાયડુએ કહ્યું કે, મોદી અને એનડીએની સરકારથી આખો દેશ પરેશાન છે. દેશના ખેડૂતો, વ્યાપારીઓ, સામાન્ય જનતા પરેશાન છે. હું જ્યારે એનડીએમાં હતો ત્યારે પણ મેં તેનો વિરોધ કર્યો હતો. આજે અલગ થયા બાદ પણ તેનો વિરોધ કરી રહ્યો છું. હું મોદીનો વિરોધી નથી પરંતુ તેની નીતિઓ યોગ્ય નથી. ગોધરાકાંડ વખતે પણ મેં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી મોદીનો વિરોધ કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ દેશને નિરાશ કર્યો છે. મારુ માનવું છે કે વિકાસ વિના આપણે આગળ વધી શકીએ નહીં. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો બતાવે છે કે મોદી અને એનડીએ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે.