Railway Minister In Rajyasabha: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં પાયાની સુવિધામાં સુધારો કરવા મામાલે રાજ્યસભામાં મોટુ નિવેદન આપ્યુ છે. ઉચ્ચ સદનમાં એક લેખિત સવાલના જવાબમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, રેલવે પહાડી વિસ્તારના હેરિટેજ રૂટ પર હાઇડ્રૉઝન ઇંધણથી ચાલનારી ટ્રેનો ચલાવવા પર વિચાર કરી રહ્યું છે.  


અશ્વિની વૈષ્ણવ આગળ કહ્યું કે, તેમના પાયલટ પ્રૉજેક્ટમાં અત્યાર સુધી કુલ 39 હાઇડ્રૉજન ટ્રેનો ચલાવવાનો વિચાર કરવામાં આવ્યો છે. રેલ મંત્રીએ કહ્યું કે, પ્રત્યેક હાઇડ્રૉજન ટ્રેન 80 કરોડમાં બનશે, જ્યારે પ્રત્યેક રૂટ પર ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચચર પર 70 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તમામ હાઇડ્રૉજન ટ્રેનો હિલ રૂટ પર ચલાવવામાં આવશે. 


શરૂ કરવામાં આવ્યો પાયલટ પ્રૉજેક્ટ - 
રાજ્યસભામાં એક સવાલના જવાબમાં તેમને કહ્યું કે, ડેમૂ ટ્રેનોમાં રેટ્રો ફિટમેન્ટ ઓફ હાઇડ્રૉજન ફ્યૂલ સેલ લગાવવામાં માટે 111.83 કરોડનો પાયલટ પ્રૉજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પાયલટ પ્રૉજેક્ટ હાઇડ્રૉજન ટ્રેન નૉર્ધન રેલવેના જીન્દ-સોનીપત સેક્શન પર ચલાવવામાં આવશે, આ ટ્રેનનું ફિલ્ડ ટ્રાયલ 2023-24 માં સંભવિત છે.


હાલમાં હાઇડ્રૉજન ટ્રેનોની રનિંગ કૉસ્ટ પારંપરિક ટ્રેનોથી વધુ હશે, પરંતુ ટ્રેનોની સંખ્યાની સાથે આ કૉસ્ટ ઓછી થઇ જશે. રેલવેને ઝીરો કાર્બન એમિશનની દિશામાં આ ગ્રીન ટ્રાન્સપૉર્ટેશન ટેકનોલૉજી એકદમ કારગર સાબિત થશે. 


 


Railway Budget 2023: કેન્દ્રીય બજેટમાં ગુજરાત રેલવેને શું મળ્યું ? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ


Railway Budget 2023: 01 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે રેલવે બજેટનો પણ સામાન્ય બજેટની અંદર સમાવેશ થઈ જાય છે. આ વખતે રેલવેને 2.41 લાખ કરોડનું બજેટ ફાળવાયું છે. જેમાંથી ગુજરાતને 8332 કરોડ ફાળવાયા છે. ઉપરાંત રેલવેને લગતા 36,437 કરોડના પ્રોજેકટ ગુજરાતમાં સેંક્શન થઈ ચૂક્યા છે. ગુજરાતમાં 87 સ્ટેશન રી-ડેવલપમેન્ટ પ્રોજેકટમાં લેવાયા છે. આ આધુનિક સ્ટેશન વિરાસત અને વિકાસ સાથેનું મિશ્રણ હોય તેવું પ્રધાનમંત્રીનું સુચન છે. વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ બે શહેરોને જોડવા વંદે મેટ્રો ટ્રેન ભવિષ્યમાં આવશે. જ્યાં સુધી બુલેટ ટ્રેનની વાત છે તો અમદાવાદ સેક્શનમાં 140 કિલોમીટરનું કામ થયું છે. 


આ વર્ષમાં મહારાષ્ટ્ર સેક્શન પર કામ વધુ થશે. 2026 સુધીમાં બુલેટ ટ્રેન આવશે તેવું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ છે. વન નેશન વન પ્રોડકટને પણ 750 સ્ટેશનથી આગળ વધીને 01 હજાર સ્ટેશન પર લઈ જવાશે. 2371 કરોડના ખર્ચે અમદાવાદ સ્ત્રશનને રી-ડેવલપ કરાશે. જેની કામગીરી એપ્રિલ મહિનાના અંતમાં શરૂ થાય તેવી શકયતા છે.


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ જવાબ આપ્યો


કેન્દ્રીય બજેટમાં ગુજરાત રેલવેને શું મળ્યું એ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ જવાબ આપ્યો હતો. ગુજરાત માટે 8332 કરોડ રેલવેને ફાળવવામાં આવ્યા છે. 6,437 કરોડના પ્રોજેકટ ગુજરાતમાં સેંક્શન થયા છે. ગુજરાતમાં 87 સ્ટેશન રી-ડેવલપમેન્ટના પ્રોજેકટમાં લેવાયા છે. અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, બારડોલી, ભચાઉ, ભરૂચ, ભાવનગર, અસારવા, બીલીમોરા, બોટાદ, ચાંદલોડિયા, ચોરવાડ, દ્વારકા, હાપ, જામ-જોધપુર, કલોલ, કેશોદ લખતર, લીંબડી, લીમખેડા, મહેસાણા, મહુઆ, કરજણ, નવસારી, પડધરી વગેરેનું રી-ડેવલપમેન્ટના થશે.