શું સોનિયા ગાંધી અને રાજ ઠાકરેની મુલાકાત મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણોને જન્મ આપશે? શું મોદી વિરોધના બહાને રાજ ઠાકરેની પાર્ટી એમએનએસ કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનમાં થશે સામેલ? શું મહારાષ્ટ્રમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં એમએનએસનું રેલવે એન્જીન કૉંગ્રેસ-એનસીપીને જીતનો ધક્કો લગાવી શકશે? આ તમામ સવાલોના જવાબો ભવિષ્યમાં મળશે.
એનસીપીએ લોકસભા ચૂંટણીમાં જ રાજ ઠાકરેની પાર્ટીને લીલી ઝંડી આપી દિધી હતી પરંતુ કૉંગ્રેસે એમએનએસની નો એંટ્રી કરી હતી. હવે આ જ કૉંગ્રેસ રાજ્યમાં નબળી પડતા એક મજબૂત વિપક્ષ બનાવવા માટે સમાન વિચારવાળી પાર્ટીઓને એક સાથે લાવવાનો વિચાર કરી રહી છે. કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાતે સંગમનેરમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ સમાન વિચારવાળી પાર્ટીઓને સાથે લઈને ચૂંટણી લડવામાં આવશે.