નવી દિલ્લીઃ રિઝર્વ બેંકના ગર્વનર રઘૂરામ રાજને પોતાની બીજી ટર્મ અંગેની અટકળો પર પૂર્ણ વિરામ મુકી દીધો છે. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે તેઓ બીજી ટર્મ માટે ગર્વનરનું પદ સ્વીકારશે નહીં. સાથે જ તેમણે કહ્યુ છે કે, જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે હું દેશની સેવા કરવા માટે હાજર રહીશ. રઘૂરામ રાજનનો કાર્યકાળ 4 સપ્ટેમ્બરમાં પૂર્ણ થાય છે.