જયપુર: રાજસ્થાનના નાગૌરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.મિની બસ પલટી મારતા એકબ બાળકી સહિત 12ના મોત થયા છે જ્યારે 12 અન્ય ઘાયલ છે. ઘાયલો પૈકી 6 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પ્રશાસને જયપુર રિફર કરી દીધા છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના નાગૌર જિલ્લાના કુચામન સિટીમાં સવારે ત્રણ વાગ્યાની આસપાસ બની છે.


બસ દુર્ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, રાતના સમયે રસ્તો ખાલી હોવાના કારણે બસ ખૂબ જ સ્પીડમાં હતી. અચાનક રસ્તા વચ્ચે સાંઢ આવી જવાના કારણે ડ્રાઇવરે બસ પર પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું જેના કારણે આ દુર્ઘટના બની હતી.