નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીની સૈનિકો આમને સામને છે, આને લઇને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પહેલીવાર નિવેદન આપ્યુ. રાજનાથ સિંહે કે પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકોની સંખ્યા મોટા પ્રમાણ છે અને ભારતે પણ સામે સ્થિતિને નિપટવા માટે આવશ્યક પગલા ભર્યા છે. ઉલ્લેખનીય છે લગભગ એક મહિનાથી બન્ને દેશોની સેના બોર્ડર પર આમને સામને આવી ગઇ છે.


સીમા વિવાદને લઇને રાજનાથ સિંહે કહ્યું કે, ભારત પોતાની સ્થિતિથી પાછળ હટવાનુ નથી. પૂર્વી લદ્દાખમાં સંવેદનશીલ વિસ્તારમાં વર્તમાન સ્થિતિ વિશે પુછવામાં આવ્યુ ત્યારે રાજનાથે કહ્યું કે, ચીની ત્યાં સુધી આવી ગયા છે, જેના પર તે પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરે છે, જ્યારે ભારતનુ માનવુ છે કે આ વિસ્તાર આપણો છે.



એક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં રાજનાથ સિંહે કહ્યું- તેને લઇને એક મતભેદ થયો છે, અને મોટી સંખ્યામાં ચીનના લોકો પણ આવી ગયા છે, પણ ભારતે પણ પોતાના તરફથી જે કંઇક કરવુ જોઇએ તે ભારતે કર્યુ છે. રક્ષા મંત્રીની ટિપ્પણીઓને વિવાદિત વિસ્તારોમાં ચીની સૈનિકોની મોટી સંખ્યામાં હાજરીની પહેલી અધિકારીક પુષ્ટિ તરીકે જોવામાં આવી રહી છે. આ વિસ્તારો વિશે ભારતનુ કહેવુ છે કે આ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતની બાજુએ છે.

રાજનાથ સિંહે કહ્યું કે ડોકલામ વિવાદનુ સમાધાન કૂટનીતિક અને સૈન્ય વાર્તાના માધ્યમથી થયુ હતુ, અમે આ રીતની સ્થિતિઓની વિગતોમાં પણ આ રીતનુ સમાધાન મેળવ્યુ છે. હાલના મુદ્દે સમાધાન માટે સૈન્ય અને કૂટનીતિક સ્તર પર વાતચીત ચાલુ છે.