રશિયા અને US જશે ગૃહમંત્રી રાજનાથ સિંહ, PAK સમર્થિત આતંકવાદ રહેશે મુખ્ય મુદ્દો
abpasmita.in | 11 Sep 2016 05:57 PM (IST)

નવી દિલ્લી: પાકિસ્તાન પર દબાણ વધારવા માટે કેંદ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ આગામી સપ્તાહે રશિયા અને અમેરિકાનો પ્રવાસ કરશે, અને જ્યાં પાડોશી દેશ દ્વારા ફેલાવવામાં આવી રહેલો આતંકવાદ અને ક્ષેત્રમાં આઈએસઆઈએસની ગતિવિધિઓનો મુકાબલો કરવાના પ્રયાસોને લઈને વાતચીત કરશે. સિંહનો પાંચ દિવસીય રશિયા પ્રવાસ આગામી 18 સપ્ટેબરથી પ્રારંભ થઈ રહ્યો છે. પોતાના રશિયા પ્રવાસ વખતે રાજનાથ ત્યાં આંતરિક મામલોના મંત્રી વ્લાદિમીર કોકોકોલ્તસેવથી દ્વિપક્ષીય વાતચીત કરશે તથા આતંકવાદ વિરોધી સહયોગ પર ભારત-રશિયા સાથે આ સંદર્ભે યોગ્ય મુદ્દાઓ પર વાતચીત કરશે. બન્ને દેશો જમ્મુ-કાશ્મીરમાં સીમા પર આતંકવાદ, દેશ અને પાડોશમાં આઈએસઆઈએસની વધતી ગતિવિધિઓ ઉપર પણ ચર્ચા કરશે. ગૃહમંત્રી 28 સપ્ટેબરે સાત દિવસીય અમેરિકી યાત્રા પર વૉશિગ્ટન પહોંચશે. તે પોતાના અમેરિકી સમકક્ષ જેહ ચાર્લ્સની સાથે ભારત-અમેરિકા ગૃહ સુરક્ષા સંવાદ પર વાતચીત કરશે.