નવી દિલ્લી: આજે સંસદનું મોનસૂન સત્રનો પ્રારંભ થયો છે. જેમાં રાજ્યસભામાં પહેલા જ દિવસે હોબાળો થતા, ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.


રાજ્યસભામાં ગુજરાતના દલિતો પર અત્યાચાર અંગેનો મુદ્દો ઉછળતા હોબાળો થયો હતો. બસપાના માયાવતીએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.



ઉલ્લેખનીય છે કે ગુજરાતના સોમનાથમાં ગૌહત્યાની શંકાના આધારે સાત દલિત યુવાનોને જાહેરમાં માર્યા હતા. જે મામલે ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે.