અમદાવાદ: ભાઈ બહેનના અટૂટ સંબંધ, પ્રેમ અને સમર્પણનો તહેવાર એટલે રક્ષાબંધન. આજે આ 15 ઓગસ્ટ સાથે આ તહેવારની પણ ઉજવણી થશે. રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મના મોટા તહેવારોમાંથી એક છે જે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈના હાથ પર રાખડી અથવા રક્ષા સૂત્ર બાંધીને તેના લાંબા જીવનની પ્રાર્થના કરે છે. ત્યારે ભાઈ તેની બહેનને તેના બદલામાં ભેટ અથવા ઉપહાર આપી હંમેશા તેની રક્ષા કરવાનું વચન આપે છે.


રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ સમયે રક્ષાબંધન ભારતના સ્વતંત્રતા દિવસની 72મી વર્ષગાંઠના દિવસે ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતે 19 વર્ષ બાદ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનનો એકસાથે યોગ બન્યો છે. આ પહેલાં આ સંયોગ વર્ષ 2000માં બન્યો હતો.

રાખડી બાંધવાનાં મુહૂર્ત

શુભ - સવારે 6.16થી 7.53
ચલ - સવારે 11.10થી 12.48
લાભ - બપોરે 12.48થી 2.26
અમૃત - બપોરે 2.26થી 4.04
શુભ - સાંજે 4.04થી 7.19

15 ઓગસ્ટ 2019ના સવારે 10 કલાક 20 મીનિટથી રાત્રીના 8 કલાક 10 મીનિટ સુધીનો સમય રાખડી બાંધવા માટે શુભ માનવામાં આવે છે. ભદ્ર કાળમાં કોઈ શુભ કાર્ય ન કરવા જોઈએ જોકે આ વખતે ભદ્ર કાળ નથી.