આ અગાઉ વીએચપીએ અયોધ્યામાં પણ ધર્મસભા કરી હતી. રામ લીલા મેદાનમાં આજે પાંચ લાખ લોકો આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેને કારણે મેદાનની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. રેલીની સુરક્ષા માટે પોલીસ અને અર્ધસૈનિક દળોના 15 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. એમ્બુલન્સ પણ મોટી સંખ્યામાં રામલીલા મેદાન પાસે તૈનાત કરવામાં આવી છે.
વીએચપી પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, રવિવારે રામલીલા મેદાનમાં ધર્મ સંસદને આરએસએસના કાર્યકારી વડા સુરેશ ભૈયાજી જોશી સંબોધિત કરશે. આ વિશાળ રેલી થશે જે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ માટે કાયદો લાવવાનું સમર્થન નહી કરનારા તમામ લોકોનું હૃદય પરિવર્તન કરી દેશે. વીએચપીના મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે, જો કોઇ સ્થિતિમાં સંસદમાં શિયાળુ સત્રમાં કાયદો લાવવામાં નહી આવે તો આગામી ધર્મસભામાં મોટો નિર્ણય લેવામાં આવશે. તેનું આયોજન 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીના રોજ મહાકુંભમાં ઇલાહાબાદમાં કરાશે.