Ration Card Rules: કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવે છે. તો તેની સાથે રાજ્ય સરકાર રાજ્યના નાગરિકો માટે અનેક લાભદાયી યોજનાઓ લાવે છે. આ યોજનાઓ અંતર્ગત લોકોને અલગ-અલગ રીતે લાભ મળે છે. ખાસ કરીને સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આ યોજનાઓ લાવે છે. આ યોજનાઓ હેઠળ રાશન આપવામાં આવે છે.


તો અનેક યોજનાઓમાં મફતમાં સામાન આપવામાં આવે છે. ગરીબ જરૂરિયાતમંદ લોકોને મફત રાશન અને અન્ય ખાદ્ય ચીજો માટે રાશનકાર્ડની જરૂર પડે છે. રાશન કાર્ડ મેળવવા માટે લોકોએ ચોક્કસ પાત્રતા  પૂર્ણ કરવા પડી છે. રાશનકાર્ડ બધા લોકો માટે બનતું નથી. સરકારના નવા નિયમ મુજબ કેટલાક રાશનકાર્ડ ધારકોને આવતા મહિનાથી મફત રાશન નહીં મળે. આ પાછળનું કારણ શું છે? ચાલો તમને જણાવીએ.


આ લોકોને મફત રાશન નહીં મળે


સરકારે હવે તમામ રાશનકાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવા જણાવ્યું છે. આ માટે અગાઉ તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે આ તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. એટલે કે, જો કોઈ રાશનકાર્ડ ધારકે 30 સપ્ટેમ્બર સુધી તેનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી. જેથી તે રાશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન બંધ થઈ જશે. વાસ્તવમાં, સરકારે આ પગલું એટલા માટે લીધું છે કારણ કે આવા ઘણા લોકોના નામ રાશન કાર્ડમાં નોંધાયેલા છે. જેમણે કોઇ અન્ય સ્થળે લગ્ન કર્યા છે અથવા તો સ્થળ છોડી દીધું છે અથવા તો તેમનું મૃત્યું થઇ ગયું છે. તેથી જ સરકાર e-KYC દ્વારા ખાતરી કરી રહી છે કે જે લોકો ખરેખર લાભ માટે પાત્ર છે તેઓ જ મફત રાશન મેળવી શકે છે. રાશનકાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોએ ઇ-કેવાયસી કરાવવું પડશે.


ઇ-કેવાયસી કેવી રીતે કરાવવું?


જો તમે હજુ સુધી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. પરંતુ તમે હજી પણ તે પૂર્ણ કરી શકો છો. તેના માટે જ્યાંથી સરકારી રાશનનું વિતરણ કરવામાં આવે છે. એ દુકાને જવું પડશે. આ પછી તમારે તમારી ફિંગરપ્રિન્ટ આપવી પડશે.


ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ માટે તમારી પાસેથી કોઈ અલગ ચાર્જ લેવામાં આવશે નહીં. રાશનકાર્ડમાં જે લોકોના નામ નોંધાયેલા છે તે તમામ લોકોનું કેવાયસી હોવું જરૂરી છે. તમારી પાસે ઈ-કેવાયસી પ્રક્રિયા માટે 30મી સપ્ટેમ્બર સુધીનો સમય છે.


આ પણ વાંચોઃ


ફ્રીમાં ચોખા જ નહીં, હવે મળશે આ 9 વસ્તુઓ, રેશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાંખી આખી સ્કીમ