યશ બેન્કે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, કૉવિડ-19ના કારણે દેશમાં આવેલી મુશ્કેલીઓ અને પડકારો માટે વડાપ્રધાનના આહ્વાનનુ સમર્થન કરીએ છીએ. આને ધ્યાનમાં રાખીને પીએમ કેયર્સ ફંડમાં 10 કરોડ રૂપિયાનુ યોગદાન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોના સામેની લડાઇમાં હાલ આખો દેશ એક થઇને લડાઇ લડી રહ્યો છે, ત્યારે દેશની વિવિધ કંપનીઓ અને સેલિબ્રિટીઓ પીએમ અને સીએમ રાહત ફંડમાં દાન કરી રહ્યાં છે.