શ્રીનગરઃ મોદી સરકારે આજે મોટો નિર્ણય કરતા જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખત્ન કરવાની શરૂઆત કરી છે. મોદી સરકારના આ નિર્ણય બાદ તેનો વિરોધ થવાનું પણ શરૂ થઈ ગયું છે. પીડીપીના રાજ્યસભાના સાંસદો નજીર અહમદ લવે અને એમએમ ફૈયાઝે સંસદમાં 370 ખત્મ કરવાનો વોરિધ કર્યો. પીડીપીના આ સાંસદોએ બંધારણની કોપી ફાડવાનો પ્રયત્ન પણ કર્યો, ત્યાર બાદ તેમને બહાર જવા માટે કહેવામાં આવ્યું. એમએમ ફૈયાઝે પણ વિરોધમાં પોતાના કપાડ ફાડ્યા હતા.


જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્ર સરકાર દ્વારા સોમવારને આર્ટિકલ 35A હટાવ્યા બાદ સરકારની તરફથી સુરક્ષાની દ્રષ્ટિથી વધુ એક મોટું પગલું ભર્યું છે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, અસમ અને દેશના અન્ય હિસ્સામાંથી 8000 અર્ધસૈનિક બળોના જવાનોને વિમાનો દ્વારા જમ્મુ-કાશ્મીર મોકલાઇ રહ્યા છે. રાજ્યમાં સુરક્ષાબળોની તૈનાતી સતત ચાલુ છે. સાથો સાથ ભારતીય સેના અને વાયુ સેના પણ હાઇએલર્ટ પર રાખ્યું છે.