INS Vikrant: ભારત શું ફરી એકવાર કરી શકે છે ફ્રાન્સ સાથે રાફેલ ફાઇટર જેટનો સોદો, આ સવાલ એટલા માટે કેમ કે ભારતના સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર, આઇએનએસ વિક્રાંત માટે 26 લડાકૂ વિમાનોની જરૂર છે, અને આની સાથે જોડાયેલો એક ખાસ રિપોર્ટ નૌસેનાએ રક્ષા મંત્રલાયને સોંપ્યો છે. 


ભારતીય નૌસેનાને પોતાના સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર, આઇએનએસ વિક્રાંત માટે ડેડ વેસ્ડ લડાકૂ વિમાન જોઇએ છે. કેમ કે સ્વદેશી લડાડૂ વિમાન, ટીઇડીબીએ (ટૂઇન એન્જિ ડેક બેઝ્ડ ફાઇટર)ને બનવામાં હજુ 8-10 વર્ષ લાગી શકે છે. એટલે નૌસેનાએ થોડાક મહિલા પહેલા વિક્રાંત માટે દુનિયાના બે બેસ્ટ ફાઇટર જેટ, ફ્રાન્સના રાફેલ (એમ) અને અમેરિકાના એફ-18 એ 'સુપર હૉરનેટ'ને ટ્રાયલ માટે ગોવા બોલાવ્યા હતા. 


નૌસેનાએ રક્ષા મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો - 
સુત્રો અનુસાર, ટ્રાયલ બાદ નૌસેનાએ પોતાનો રિપોર્ટ રક્ષા મંત્રાલયને સોંપી દીધો છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે, સુપર હૉરનેટથી રાફેલ 'બીસ' સાબિત થયુ છે, એટલે કે બન્ને જ ફાઇટર જેટ વિક્રાંત માટે ઠીક છે, પરંતુ રાફેલ (એમ)ની સાઇઝ માટે મુનાસિબ છે. કેમ કે વાયુસેના પહેલાથી જ રાફેલનો ઉપયોગ કરી રહી છે. આવામાં સંભાવના છે કે, રાફેલ (એમ)નુ બની જાય છે, જોકે, આ રક્ષા મંત્રાલય (સરકાર)ને નક્કી કરવાનુ છે કે, નૌસેના માટે કયુ ફાઇટર જેટ ખરીદવામાં આવશે. રાફેલ (એમ) વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવનારુ રાફેલ લડાકૂ વિમાન મરીન વર્ઝન છે. નૌસેનાને વિક્રાંત માટે 26 ફાઇટર જેટની જરૂર છે. 


નૌસેના પ્રમુખ એડમિરલ અને હરિકુમારે શું કહ્યું - 
નેવી -ડેના ઠીક એક દિવસ પહેલા જ નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિકુમારે રાજધાની દિલ્હીમાં ખુદ બતાવ્યુ હતુ કે બન્ને વિદેશી ફાઇટર જેટના ટ્રાયલ પુરા થઇ ચૂક્યા છે, અને રિપોર્ટ સમીક્ષા કરવામા આવી રહી છે. 


 


 


Jobs: ઇન્ડિયન નેવીમાં નીકળી બમ્પર ભરતી, 40 હજારથી વધુ મહિને પગાર, જાણો અરજી કરવાની તમામ માહિતી....


Indian Navy Recruitment 2022: દેશ સેવા કરવાનું ઝનૂન રાખો છો, તો તમારા માટે મોટો મોકો છે. ભારતીય નૈસેનાએ એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, જે અનુસાર, ભારતીય નૈસેનામાં 100 પદો પર ભરતી કરવામાં આવશે, આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ઉમેદવાર આ પદો માટે અધિકારિક સાઇટ www.joinindiannavy.gov.in પર જઇને અરજી કરી શકે છે. 


આ છે ખાલી જગ્યાઓની ડિટેલ્સ  - 
આ ભરતી અભિયાન દ્વારા ઇન્ડિયન નેવીમાં અગ્નીવીર (એમઆર)ના 100 પદો પર ભરતી કરવામાં આવશે, જે માટે અરજી કરનારા ઉમેદવારોને કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રિક પાસ હોવુ જરૂરી છે. અરજીકર્તાના નામાંકનના સમયે ઉમેદવારોનો 01 મે, 2022 થી 31 ઓક્ટોબર, 2005 ની વચ્ચે જન્મ થયેલો હોવો જોઇએ. 


આ રીતે થશે પસંદગી - 
અધિસૂચના અનુસાર આ પદો પર ઉમેદવારોની પસંદગી કૉમ્પ્યુટર ઓનલાઇને પરીક્ષા/ લેખિતા પરીક્ષા / પીએફટી/ પ્રારંભિત ચિકિત્સા પરીક્ષા તથા અંતિમ ભરીત ચિકિત્સા પરીક્ષાના આધાર પર ચાર વર્ષો માટે કરવામાં આવશે.  


આટલો મળશે પગાર - 
આ પદો પર પસંદગી પામનરા ઉમેદવારોને રૂપિયા 30,000 થી 40,000 પ્રતિ માહ સુધીનુ વેતન આપવામાં આવશે. યાત્રા ભથ્થાની ચૂકવણી પણ કરવામાં આવશે. 


આટલી હશે અરજી ફી - 
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોને અરજી ફીની ચૂકવણી કરવી પડશે, આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોને  550 રૂપિયાની અરજી ફી જમા કરાવવી પડશે. 


કઇ રીતે કરશો અરજી - 
આ ભરતી અભિયાન માટે અરજી કરવા માંગતા યોગ્ય ઉમેદવારોએ 17 ડિસેમ્બર, 2022 સુધી અધિકારિક વેબસાઇટ www.joinindiannavy.gov.in પર જઇને અરજી કરવી પડશે.