RSS On Gay Sex: આરએસએસના એક વરિષ્ઠ નેતાએ ગે સેક્સ (Gay Sex) ને  "રાક્ષસોની વચ્ચેની પ્રથા" ગણાવી છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે થોડાક સમય પહેલા સમલૈગિંકતાને ભારતીય સંસ્કૃતિનો ભગા બતાવ્યો હતો, સાથે જ શાસ્ત્રોનો હવાલો પણ આપ્યો હતો. વળી, હવે આરએસએસના શ્રમિક શાખા, ભારતીય મજદૂર સંઘ (બીએમએસ)ના પૂર્વ અધ્યક્ષ સી કે સજી નારાયણે આ રાક્ષસોની વચ્ચેની પ્રથા અને શાસ્ત્રોનો પણ હવાલો આપ્યો. 


ખરેખરમાં, આરએસએસ સાથે જોડાયેલી પત્રિકા ધ ઓર્ગેનાઇઝરના પ્રકાશિત એક લેખમાં સાજી નારાયણે સમલૈગિંક યૌન સંબંધોને ના માત્ર સૃષ્ટિ વિરુદ્ધનું ગણાવ્યુ છે પરંતુ સમલૈગિંકતાને અપરાધની કેટેગરીમાંથી બહાર કરનારા પોતાના ઐતિહાસિક 2018 ના ફેંસલામાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણીની પણ નિંદા કરી છે. આની સાથે જ પત્રિકાના તંત્રી પ્રફૂલ્લ કેતકરે કહ્યું કે ઉચ્ચ અદાલત ભારતીય મુદ્દાઓ પર આંખો બંધ કરીને વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરી રહી છે, જે ક્યાંયથી પણ સ્વસ્થ નથી. 


રાક્ષસ મહિલાઓ વચ્ચેની એક પ્રથા.... સાજી નારાયણ 
નારાયણે પોતાના નિવેદનમાં કહ્યું- સમલૈગિંકતાનો ઉલ્લેખ રામયણમાં રાક્ષસ મહિલાઓની વચ્ચે એક પ્રથા તરીકે કરવામાં આવતો હતો, જેને હનુમાને લંકામાં જોઇ હતી. ધર્શશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સમલૈગિંકતાને દંડિત કરે છે, પરંતુ કામસૂત્ર સમલૈગિકતા સમાજમાં છે.  


આરએસએસ પ્રમુખે રાક્ષસોના રાજા જરાસંધના બે સેનાપતિઓને.....
વળી, આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં, આરએસએસ સાથે જોડાયેલી મેગેઝિનના ઓર્ગેનાઇઝર અને પંચજન્યને આપેલા એક ઇન્ટરવ્યુમાં, મોહન ભાગવતે LGBTQ અધિકારોના મુદ્દા પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે સંઘના સમર્થનને દોહરાવ્યુ હતુ, ઉપરાંત, LGBTQ સમુદાયને સમાજમાં યોગ્ય સ્થાન આપવા માટે, આરએસએસના પ્રમુખે રાક્ષસ રાજા જરાસંધના બે સેનાપતિ - હંસ અને દિમ્ભકાની વાર્તા સંભળાવી. તેણે કહ્યું હતું કે તે સમલૈંગિક સંબંધોમાં હતા.


 


Rahul Gandhi Appeal: 'ફકત નરેન્દ્ર મોદી કરી શકે છે માનહાનિનો કેસ', સુરત કોર્ટમાં રાહુલ ગાંધીનો તર્ક


Rahul Gandhi Appeal: માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં તેમની સજાને પડકારતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની સામે માત્ર નરેન્દ્ર મોદી જ માનહાનિનો કેસ કરી શકે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (3 માર્ચ) સુરતની સેશન્સ કોર્ટમાં ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજાને પડકારતી અપીલ દાખલ કરી હતી.


23 માર્ચે સુરતની CJM કોર્ટે મોદી અટકના નિવેદન બદલ રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. 2019 માં કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું હતું કે  "લલિત મોદી, નીરવ મોદી, નરેન્દ્ર મોદી, કેવી રીતે બધા ચોરોની સરનેમ મોદી છે." ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ નિવેદન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં રાહુલ ગાંધીને સજા સંભળાવવામાં આવી હતી.


3 એપ્રિલે રાહુલ ગાંધીએ સજા પર સ્ટે અને જામીન માટે અરજી દાખલ કરી હતી. અપીલ પર સુનાવણી કરતા કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. દરમિયાન રાહુલ ગાંધીની કાનૂની ટીમે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં માત્ર નરેન્દ્ર મોદી જ અપીલ કરી શકે છે.