Russia Ukraine Crisis: યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બરેલીનો એક વિદ્યાર્થી પણ ઓપરેશન ગંગા હેઠળ પોતાના ઘરે પાછો ફર્યો છે. બરેલી પરત ફરતાં વિદ્યાર્થીના ઘરે હોળી પહેલાં હોળી જેવો માહોલ છવાયો હતો. પરવારનીની દરેકમાં વ્યક્તિમાં આનંદની લાગણી છવાઈ છે. યુક્રેનમાં ભણતા અને હાલ પોતાના ઘરે બરેલીમાં પહોંચેલા MBBSના વિદ્યાર્થી કૃષ્ણકાંતનું કહેવું છે કે, યુક્રેનમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ત્યાં સતત બોમ્બ ધડાકા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ત્યાંથી સરહદ સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી પડે છે.


યુક્રેનથી રોમાનિયા સુધીઃ


બરેલીના 100 ફુટા રોડના રહેવાસી કૃષ્ણકાંત પ્રસાદ યુક્રેનના ઇવાનો-ફ્રેન્કિવસ્ક શહેરમાં નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરે છે. કૃષ્ણકાંતનું કહેવું છે કે, તે અને તેના મિત્રો કોઈક રીતે કાર દ્વારા રોમાનિયા બોર્ડર પહોંચ્યા હતા. બોર્ડરથી લગભગ 15 કિલોમીટર દૂર ટ્રેનમાંથી વિદ્યાર્થીઓને ઉતારવામાં આવે છે, જ્યાંથી વિદ્યાર્થીઓને પગપાળા રોમાનિયા બોર્ડર પર જવું પડે છે. બોર્ડર પર પહોંચ્યા પછી પણ લાંબો સમય લાઈનોમાં પણ ઉભા રહેવું પડે છે. કૃષ્ણકાંતને પણ લગભગ 13 કલાક લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું.


બોર્ડર પર વિદ્યાર્થીઓની ભારે ભીડઃ


હાલ બોર્ડર પર વિદ્યાર્થીઓની ભારે ભીડ હોય છે, જેના કારણે ત્યાંની પોલીસ ચેકિંગ કરે છે અને ચેકિંગ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. એરપોર્ટ સુધી પહોંચવા માટે એ જ બોર્ડર પર બસની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના માટે કોઈ ભાડું લેવામાં નથી આવતું. ત્યારપછી એરપોર્ટથી ફ્લાઇટમાં દિલ્હી આવ્યા બાદ પણ કોઈ ભાડું લેવામાં આવ્યું નથી. આટલું જ નહીં, દિલ્હીના યુપી ભવનમાંથી સરકાર દ્વારા કારની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કૃષ્ણકાંત બરેલી પહોંચી ગયો છે. આ કારનું ભાડું પણ સરકાર ચૂકવી રહી છે. કૃષ્ણકાંતે જણાવ્યું કે હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે.


કૃષ્ણકાંતે જણાવ્યું કે એક તરફ ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા લોકોને ભારત પરત લાવી રહી છે, પરંતુ ભારત સિવાય અન્ય ઘણા દેશોના લોકો પણ યુક્રેનમાં ફસાયેલા છે. પરંતુ એ દેશોના લોકોની હાલત દયનીય છે. એ લોકોને તેમના દેશની સરકાર પરત લાવવા માટે કોઈ વ્યવસ્થા નથી કરી રહી.