યૂપીમાં આવતા વર્ષે વિધાનસભાની ચુંટણી યોજવા જઇ રહી છે તે જોતા સમાજવાદી પાર્ટીનો આ સમારોહ તેના માટે પ્રચારનું માધ્યમ પણ બની રહેશે. સપામાં અખિલેશ અને શિવપાલ વચ્ચે થયેલા મન દુઃખને પગલે સપા પરથી લોકોનો ભરોષો ઓછો થયો હતો. ત્યાર બાદ અખિલેશ યાદવે કાઢેલી વિકાસ યાત્રમાં સપા પરિવાર એક મંચ પર દેખાયો હતો. જેના લીધે સબ સલામત હોવોનું સપા દ્વારા લોકોમાં દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ નેતાજી મુલાયમ આ સમારોહમાં બીજા પક્ષોને જોડીને મહાગઠ બંધન કરવાનો પ્રયાસ કરશે.
સમાજવાદી પાર્ટીના આ કાર્યક્રમમાં લાલુપ્રસાદ યાદવ, શરદ યાદવ, પૂર્વપ્રધાનમંત્રી એચ.ડી દેવગૌડા પણ ઉસ્થિત રહેશે.