Sanjay Raut Convicted: શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુરુવારે (26 સપ્ટેમ્બર) કોર્ટે બીજેપી નેતા કિરીટ સોમૈયાની પત્ની મેઘના સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. આ ઉપરાંત સંજય રાઉતને પણ 15 દિવસની જેલની સજા ફટકારવામાં આવી છે.






મુંબઈની શિવડી કોર્ટમાં આજે બીજેપી નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી પૂરી થયા બાદ કોર્ટે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને આ મામલામાં દોષિત જાહેર કર્યા છે.


વાસ્તવમાં, સંજય રાઉતે મેધા પર 100 કરોડ રૂપિયાના ટોયલેટ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. મેધા સોમૈયાએ તેમના આરોપોને ફગાવી દીધા અને તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો.


શું છે સમગ્ર મામલો?


સંજય રાઉતે 12 એપ્રિલ, 2022ના રોજ શિવસેનાના મુખપત્ર સામના ઓનલાઈનમાં એક લેખમાં લખ્યું હતું કે, મેધા સોમૈયાએ મીરા-ભાઈંદર વિસ્તારમાં 16 શૌચાલય બનાવવાનો કોન્ટ્રાક્ટ લેવા માટે રાજકીય શક્તિનો ઉપયોગ કર્યો હતો. આ કોન્ટ્રાક્ટનો ઉપયોગ કરીને મેધા સોમૈયાએ 3 કરોડ 90 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.


તેમનો લેખ બહાર આવ્યા બાદ આ મુદ્દો હેડલાઇન્સમાં હતો. તે સમયે મેધા સૌમૈયાએ શિવસેના સાંસદના લેખને લઈને કહ્યું હતું કે, આ લેખથી મને ઘણી માનસિક પીડા થઈ છે. આ પછી મારા બધા સંબંધીઓ અને મિત્રો મારી સામે શંકાની નજરે જોવા લાગ્યા છે. તે લોકોએ મને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું છે. આનાથી સમાજમાં મારી અને મારા પરિવારની બદનામી થઈ અને મારી ઈમેજ ખરાબ થઈ. આ લેખ પછી મને લોકો સામે આવવામાં શરમ આવવા લાગી છે. આનાથી મારી બદનામી થઈ.


તમને જણાવી દઈએ કે સંજય રાઉત શિવસેનાના સાંસદ છે. શિવસેનાના મુખપત્ર સામનામાં તેમનો લેખ પ્રકાશિત થયા પછી, એક ન્યૂઝ ચેનલે પણ સમાચાર ચલાવ્યા કે મેધા સોમૈયાએ શૌચાલય કૌભાંડ કર્યું છે. આ પછી કોર્ટે સંજય રાઉત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.


આ પણ વાંચો...


Kutch: પાક યુવતીના પ્રેમમાં પાગલ કાશ્મીરી યુવક કચ્છ બૉર્ડર પાર કરવા જતાં ઝડપાયો, જઇ રહ્યો હતો પાકિસ્તાન