નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે સહારા ગ્રુપ ઓફ કંપનીના ચીફ સુબ્રતો રોય અને અન્ય બે ડિરેક્ટરના પેરોલ રદ કર્યા છે. અને તેમને કસ્ટડીમાં લેવા માટે આદેશ આપ્યા છે.


ટી એસ ઠાકુરની અધ્યક્ષતા વાળી બેંચે આ પેરોલ રદ કરતા વચગાળાની વવ્યસ્થા બંધ કરી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના કાઉંસેલ પ્રતાપ વેણુગોપાલે બેંચને જણાવ્યું હતું કે સહારાએ માર્કેટ રેગ્યુલેટરને આપેલી સંપત્તિ પહેલેથી ઈંકમ ટેક્સ ઓથોરિટીના અટેચમેંટમાં હતી. આ વાત બાદ ચીફ જસ્ટિસે પેરોલ રદ કરવા આદેશ આપ્યા હતા.

તે બાદ ત્રણેયને કસ્ટડીમાં લેવા આદેશ આપ્યા હતા. જેમાં તે 3 ઓક્ટોબર સુધી રહેશે, જે બાદ આ મામલે ફરી સુનાવણી થશે.