નવી દિલ્હી: ભારત સરકારે  આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર સેવાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી ANI દ્વારા જણાવવામાં આવ્યા મુજબ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકાનું કડક પાલન કરવાનું રહેશે. કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ 27 માર્ચથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ઉડાનો ફરી શરૂ થશે.