નવી દિલ્લીઃ હૈદરાબાદની એક કોર્ટે પોલીસને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસ નોંધાતા હવે ઓવૈશી પર ધરપકડની તલવાર પણ લટકી રહી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ઓવૈસીએ પાછલા મહિને ધરપકડ કરાયેલા આઇએસના શકંમદોને કાનૂની સહાયતા આપવાની વાત કરી હતી.. જેના આધારે આ કેસ દાખલ કરવામા આવ્યો છે.. આ સિવાય કોર્ટે પોલીસને 30 જુલાઇ સુધી રિપોર્ટ દાખલ કરવાનો પણ દેશ આપ્યો છે.