નવી દિલ્લી: જાણીતા અભિનેતા અને ભાજપાના સાંસદ પરેશ રાવલે શહાબુદ્દીનના જેલમાંથી છૂટકારા મામલે સીએમ નીતીશ કુમાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. પરેશ રાવલે કહ્યું, શહાબુદ્દીનનું રાજ્યમાં ખુલ્લેઆમ ફરવું સામાન્ય વાત છે.

પરેશ રાવલે સોશિયલ સાઈટ ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું કે, જે રાજ્યના સીએમ માટે ઈશરત જ્હાં પુત્રી સમાન હોય, ત્યાં શહાબુદ્દીનનું ખુલ્લેઆમ ફરવુ સામાન્ય વાત છે. તમને જણાવી દઈએ કે, શહાબુદ્દીનના જેલમાંથી છૂટકારા પછી ભાજપ નીતિશ કુમારને ઘેરવાની
કોશિશ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે 11 વર્ષ પછી જેલમાંથી છૂટતાની સાથે શહાબુદ્દીને કહ્યું કે, મારા નેતા લાલૂ પ્રસાદ છે અને નીતીશ કુમાર પરિસ્થિતિઓના મુખ્યમંત્રી છે. તેના પછી બિહારની રાજનીતિમાં રાજકારણ ગરમાયું છે.