રાષ્ટ્રપતિ પદ માટે શરદ પવારના નામ પર ચર્ચા, જાણો શિવસેનાએ શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jan 2020 06:14 PM (IST)
શરદ પવાર દેશના કદાવર નેતા છે. તેઓ માત્ર 38 વર્ષની ઉંમરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા.
મુંબઈ: વર્ષ 2022માં રાષ્ટ્રપતિના પદ માટે એનસીપી સુપ્રીમ શરદ પવારના નામની ચર્ચા ચાલી રહી છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું 2022ના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ એનસીપી સુપ્રીમો શરદ પવારના નામ પર વિચાર કરવો જોઈએ. રાજ્યસભા સાંસદ સંજય રાઉતે એ પણ દાવો કર્યો કે 2022 સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો નિર્ણય કરવા માટે અમારી પાસે પર્યાપ્ત સંખ્યા હશે. શરદ પવારે હાલમાં જ મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવા માટે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના એક સાથે લાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. સંજ રાઉતે કહ્યું કે શરદ પવાર દેશના વરિષ્ઠ નેતા છે. મને લાગે છે કે 2022માં રાષ્ટ્રપતિ પદ માટે તમામ રાજકીય પક્ષોએ તેમના નામ પર વિચાર કરવો જોઈએ. શરદ પવાર દેશના કદાવર નેતા છે. તેઓ માત્ર 38 વર્ષની ઉંમરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા.